Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

પ્રજાસતાક દિનની પુર્વ સંધ્યાએ બોલીવુડસીંગરનો ધમાકેદાર કાર્યક્રમ

અરિજીત, સુખવિંદર સિંગ, શંકર મહાદેવન, રીચા શર્મા વગેરેની વિચારણાઃ લોકભાગીદારીથી આયોજનની શકયતાઃ ઉદય કાનગડ

રાજકોટ,તા.૩: મ્યુ.કોર્પોરેશન દ્વારા પ્રજાસતાક દિનની પુર્વ સંઘ્યાએ અરિજીત, સુખવિંદર સિંગ તથા શંકર મહાદેવન, રીચા શર્મા સહિતનાં બોલીવુડ ગાયકની સંગીત સંઘ્યા યોજવાનું અને લોકભાગીદારીથી આયોજની વિચારણા ચાલી રહી હોવાનું સ્ટે. ચેરમેન ઉદય કાનગડે જણાવ્યુ હતુ.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુ.કોર્પોરેશન દ્વારા દર વર્ષે ૨૬મી જાન્યુઆરી પ્રજાસતાક દિન નિમિતે તા.૨૫નાં રોજ બોલીવુડ ગાયકની સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવે છે. જે અન્વેય આ વર્ષે પણ તા.૨૫   જાન્યુઆરીનાં પ્રજાસતાક દિનની પુર્વ સંધ્યાએ અરીજીત, સુખવિંદર સિંગ, શંકર મહાદેવન તથા રીચા શર્મા સહિતનાં બોલીવુડ ગાયકની ધમાકેદાર સંગીત સંધ્યાનાં આયોજનની વિચારણા ચાલી રહી હોવાનું સ્ટે.ચેરમેન ઉદય કાનગડે જણાવાયુ હતુ.

(3:38 pm IST)