News of Wednesday, 3rd November 2021
આવતીકાલે ગુરૂવારે સ્વાતિ નક્ષત્રમાં આ વર્ષે દિવાળી ઉત્તમ ગણાશે. આસો વદ અમાસને ગુરુવાર દીપાવલી તા.૪ આ વર્ષે દીપાવલીના દિવસે સ્વાતિ નક્ષત્ર સવારના ૭: ૪૧થી આખો દિવસ અને રાત છે. આથી આ વર્ષે દિવાળીનો દિવસ ચોપડા પૂજન માટે લક્ષ્મી પૂજન માટે ઉત્તમ ગણાશે. આ દિવસે આખો દિવસ ચોપડા પૂજન કરવું શ્રેષ્ઠ છે.
દીપાવલીનું મહત્વ ( ૧ ) આ દિવસે સમુદ્રમાંથી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયેલો . ( ૨ ) શ્રી રામ ચંદ્ર ભગવાન રાવણને મારી વિજય મેળવી અને દીવાળીના દિવસે અયોધ્યા પરત પધાર્યા હતા . ( ૩ ) ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્ય સુરાજ્ય શાસન પર્વની સ્થાપના આ દિવસે કરી હતી. ( ૪ ) શ્રી કૃષ્ણ ભગવાને કાળી ચૌદશના દિવસે નરકાસુરનો વધ કર્યો અને બીજા દિવસે એટલે કે દિવાળીના દિવસે લોકોએ ઉત્સવ ઉજવ્યો હતો . ( ૫) પાંડવો ચૌદ વર્ષનો વનવાસ ભોગવી અને હસ્તિનાપુર પધાર્યા તે દિવસ હતો. દિવાળીનો. આમ અલગ અલગ પ્રકારે દીપાવલીનું મહત્વ રહેલું છે.
આપણા સ્કન્દ પુરાણ પદમ પુરાણ ભવિષ્ય પુરાણ ગ્રંથોમાં જુદી જુદી રીતે દિવાળીનું મહત્વ છે . તેમાં ખાસ કરીને બ્રહ્મ પુરાણ પ્રમાણે દિવાળીની રાત્રિએ લક્ષ્મીજી સ્વયં લોકોના ઘરમાં પધારે છે આથી જ લોકો ચોપડા પૂજન કરે છે અને પોતાનું ઘર સ્વચ્છ રાખે છે તેમને ઘરે વ્યાપારમાં લક્ષ્મીજી સ્થિર થઈને રહે છે.
મહાલક્ષ્મીજીના આઠ સ્વરૂપ છે. દિવાળીના ચોપડા પૂજનમાં કલમ એટલે કે પેનને મહાકાળીનું સ્વરૂપ ગણી પૂજા કરવામાં આવે છે . મહા લક્ષ્મીજીનો સિક્કો ચોપડા પર રાખી પૂજન કરવામાં આવે છે . અને મહા સરસ્વતી એટલે કે ચોપડાનું પૂજન સ્વયં સરસ્વતી માતાજી તરીકે પૂજવામાં આવે છે . આમ ચોપડા પૂજનમાં મહાકાલીઃ મહા લક્ષ્મી – મહા સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે . અને છેલ્લે લક્ષ્મી લાભ લાભ સવાયા બોલવામાં આવે છે એટલે કે મહા લક્ષ્મીજીની કૃપાથી અમાસે વ્યાપાર સવાયો થાય
અષ્ટ લક્ષ્મીના નામઃ ૧. ઓમ આર્ધ લક્ષ્મયૈ નમઃ ૨. ઓમ વિદ્યા લક્ષ્મી નમઃ ૩. ઓમ સોભાગ્ય લક્ષ્મી નમઃ ૪. ઓમ અમૃત લક્ષ્મી નમઃ ૫. ઓમ કામ લક્ષ્મી નમઃ ૬. ઓમ સત્ય લક્ષ્મી નમઃ ૭. ઓમ ભોગ લક્ષ્મયેનમઃ ૮. ઓમ યોગ લક્ષ્મી નમઃ
દિપાવલીના શુભ મુહૂર્ત ની યાદી
દિવાળી ના દિવસે દિવસના શ્રેષ્ઠ ચોઘડીયા શુભ સમય ૦૬-૫૩ થી ૦૮-૧૮ ચલ ૧૧-૦૬ થી ૧૨-૩૦ લાભ ૧૨-૩૦ થી ૦૧-૫૪ અમૃત ૦૧-૫૪ થી ૦૩-૧૯ શુભ ૦૪-૪૩ થી ૦૬-૦૭
રાત્રીના શ્રેષ્ઠ ચોઘડીયા અમૃત ા ૦૬-૦૮ થી ૦૭-૪૩ ચલ૦૭-૪૩ થી ૦૯-૧૯ લાભ ૧૨-૩૧ થી ૦૨-૦૬ શુભ ૦૩-૪૨ થી ૦૫-૧૮ અમૃત ૦૫-૧૮ થી ૦૬-૫૪
દિપાવલીનો પ્રદોષકાળ પુજન માટેનો શ્રેષ્ઠ સમય પ્રદોષકાળ :- ગુરૂવાર સાંજે ૬-૦૮ થી ૮-૪૧ સુધી પ્રદોષકાળ છે વૃષભ સ્થિર લગ્નમાં કુંભ સ્થિર નવમાંશ રાત્રે ૭-૦૧ થી ૦-૧૩ સુધી છે સ્થિર વૃષભ લગ્ન રાત્રે ૬-૪૭ થી ૮-૪ર સુધી છે . નિશીથ કાળ :- રાત્રે ૧૨-૦૫ થી ૧૨-૫૬ સુધી છે તેમાં પણ પુજન કરવું શ્રેષ્ઠ ગણાય . શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન)
શાસ્ત્રી રાજદીપ જોશી,
વેદાંતરત્ન, મો.૯૯૨૫૬ ૧૧૯૭૭