Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ઇન્દુબાઇ મ.સ. તીર્થધામ ખાતે દિવાળી-બેસતા વર્ષે ધાર્મિક આયોજન

આજે ઘંટાકર્ણ વિરના જાપ યોજાયા

રાજકોટ તા. ૩: ગો. સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં આવતી કાલે દિવાળીના દિવસે સવારે ૮-૩૦ થી ૯-૩૦ પુચ્છિસુણના જાપ ૯-૩૦ થી ૧૦-૩૦ વ્યાખ્યાન. બેસતા વર્ષે શુક્રવારે સવારે ૬-૩૦ થી ૭ જાપ તથા ૭ કલાકે પૂ. મોટા મહાસતીજીનું મહાન પ્રભાવક મહા માંગલિક જે માંગલિકનો મહિમા સારાયે જૈન સમાજમાં અનેરો હતો છે.

તીર્થધામમાં પૂ. મહાસતીજીના દર્શનાર્થે લાંબી કતારો લાગી છે. આજે સવારે ભવ્યાતિભવ્ય શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવના જાપ યોજાયો. બેસતા વર્ષે દિલાવર દાતાઓ શ્રેષ્ઠીવર્યા સોનલ સેવા મંડળ, સોનલ સિનિયર સીટીઝન, સોનલ સહેલી મંડળ, યુવક મંડળ, જીવદયા મંડળ ખાસ હાજરી આપશે. દિલાવર દાતાઓ તરફથી પ્રભાવના આપવામાં આવશે. તો આ અમારા અભિનવ આયોજનમાં દરેક ભાઇઓ-બહેનોને લાભ લેવા આમંત્રણ પાઠવાયું છે.

(3:02 pm IST)