Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

રાજકોટ યાર્ડના કર્મચારીને નિવૃત્તી વિદાયમાન

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટના કર્મચારી પરીવારના શ્રી રાજેન્દ્રસિંહ અલુભા જાડેજા વયમર્યાદાના કારણોસર ૩ર વર્ષની ફરજ બજાવી નિવૃત થતા હોઇ તેઓની નિવૃતિ વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. શ્રી રાજેન્દ્રસિંહ અલુભા જાડેજાનું નિવૃત્તિમય જીવન આપ્તજનો વચ્ચે મંગલમય, સુખાકારી સભર અને આનંદમય રહે તેવી યાર્ડના સાથી કર્મચારીઓએ શુભકામના પાઠવી હતી. તસ્વીરમાં યાર્ડના નિવૃત્ત થતા કર્મચારી રાજેન્દ્રસિંહને સહકર્મચારીઓ વિદાયમાન આપતા નજરે પડે છે.

(2:56 pm IST)