Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

ધોરાજીના છોડવદરના નાથાભાઇ સોનારા પર ભોળા ગામે ગોવિંદ કરમટા સહિત ૩નો કુહાડીથી હુમલોઃ રોકડની લૂંટ-ખૂનની ધમકીઃ હલણનો ડખ્ખો

રાજકોટઃ ધોરાજીના છોડવદર ગામે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં નાથાભાઇ ગોવિંદભાઇ સોનારા (ઉ.૫૬) નામના આહિર પ્રોૈઢ ગઇકાલે ખાતર અને દવા લેવા ધોરાજીના ભોળા ગામે ગયા ત્યારે ત્યાં મિસ્ત્રીની દૂકાન નજીક ઉભા હતાં તે વખતે ધોરાજીના ગોવિંદ દાસાભાઇ કરમટા, અરજણ ભીખાભાઇ રબારી અને અજાણ્યા શખ્સે સ્કોર્પિયોમાં આવી ગાળો દઇ ઉંધી બુથરાટીના બે ઘા સાથળમાં મારી બે જણાએ નાથાભાઇને પકડી રાખી ત્રીજાએ તેના ખિસ્સામાંથી રોકડા રૂ. ૧૧ હજાર અને એટીએમ કાર્ડ લૂંટી લઇ મારી નાંખવાની ધમકી આપતાં પાટણવાવ પીએસઆઇ વાય. બી. રાણાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નાથાભાઇને પરમ દિવસે ગોવિંદ દાસાભાઇ સાથે વાડીના હલણ મામલે ચડભડ થઇ હોઇ તેનો ખાર રાખી હુમલો કરી લૂંટ ચલાવાયાનું ફરિયાદમાં જણાવાયું છે.

(12:02 pm IST)