Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

શ્રીનાથજી સોસાયટીમાં કોળી વૃધ્ધા દિવાળીબેનનો ફાંસો ખાઇ આપઘાત

બિમારીથી કંટાળી જઇ પગલું ભર્યુઃ મકવાણા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૩: મવડી પ્લોટની શ્રીનાથજી સોસાયટી-૧માં રહેતાં દિવાળીબેન રમેશભાઇ મકવાણા (ઉ.૬૭) નામના કોળી વૃધ્ધાએ બારીમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

વહેલી સવારે પાંચ વાગ્યે પતિ રમેશભાઇ ઉઠતાં પત્નિ તેમની પથારીમાં જોવા ન મળતાં ઉપરના રૂમમાં તપાસ કરતાં બારીની જાળીમાં તેણે ગળાફાંસો ખાઇ લીધાનું જણાતાં તેઓ અવાચક થઇ ગયા હતાં. દેકારો મચાવતાં સામે જ રહેતાં દિકરી કિર્તીબેન, જમાઇ સહિતના સ્વજનો આવી ગયા હતાં. ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. પણ તેના ઇએમટીએ દિવાળીબેનને મૃત જાહેર કર્યા હતાં.

માલવીયાનગર પોલીસને જાણ થતાં પીએસઆઇ યુ. બી. જોગરાણા અને અરૂણભાઇએ ઘટના સ્થળે જઇ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારને એક પુત્ર અને ચાર પુત્રી છે. પુત્ર મનોજભાઇ અમરેલી રહે છે. દિવાળીબેન અને પતિ રમેશભાઇ રાજકોટ દિકરીના ઘર નજીક રહેતાં હતાં. વર્ષોથી તેમને બિમારી હોઇ કંટાળીને આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે. (૧૪.૫)

(3:49 pm IST)