Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

મોરબી રોડ પર નાની ફાટક પાસે ટ્રેન માંથી પડી જતા લીલાપુરના જીતેન્દ્રભાઇ વ્યાસનું મોત

રાજકોટ, તા.૩: મોરબીરોડ પર આવેલી નાની ફાટક પાસે ચાલુ ટ્રેન માંથી લીલાપુર ગામના વિપુલ યુવાનું મોત નિયજતા એરરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ મોરબીના લીલાપુર ગામમાં રહેતા જીતેન્દ્રભાઇ ધીરજીલાલ વ્યાસ(ઉ.વ.૩૨)ગઇ કાલે ટ્રેનમાં બેસી મોરબીથી રાજકોટ આવતા હતા. ત્યારે રાજકોટ મોરબી રોડ પર સોહમનગર નજીક નાની ફાટક પાસે ચાલુ ટ્રેન માંથી પડી જતા કપાઇ જતા તેનું ઘટના સ્થળે જ મોત નિયજયુ હતું.

બનાવબનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ જાણ કરતા બીડીવીઝન પોલીસ મથકના એએસ આઇ.કે.યુ વાળા અને રાઇટર ધર્મરાજસિંહ જાડેજા સહિતે સ્થળપર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક જીતેન્દ્રભાઇ સ્કુલવેન ચલાવે છે. તેને સંતાનમાં એક પુત્રી એ એક પુત્ર છે. તેના માતા-પિતા રાજકોટ મોરબી રોડ પર વૃજભૂમી સોસાયટીમાં રહેતા હોઇ તેથી તે ગઇકાલે ટ્રેનમાં બેસી રાજકોટ આવતા હતા.(૨૨.૮)

 

(3:49 pm IST)