Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

શ્રીનાથજી સોસાયટીમાં છેલ્લા ૩ દિ'થી ગંદા પાણીનું વિતરણઃ રોગચાળાનો ભય

આ સમસ્યા તાત્કાલીક ઉકેલવા વિસ્તારવાસીઓની માંગ

રાજકોટ, તા.૩: સમગ્ર શહેરમાં ધીમા ફોર્સથી, ગંદા પાણી વિતરણની ફરીયાદો છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ઉઠવા પામી છે. દરમ્યાન વોર્ડ નં.૧૨ના શ્રીનાથજી સોસાયટી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ગંદા પાણી આવી રહ્યાની ફરીયાદ વિસ્તાર વાસીઓ દ્વારા કરવામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરના વોર્ડ નં.૧૨માં આવેલા શ્રીનાથજી સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી ગંદા પાણીનું વિતરણ થઇ રહ્યું છે. જેના કારણે લોકોમાં રોગચાળોનો ભય ફેલાઇ રહ્યો છે. આ વિસ્તારમાં ઘરે ઘરે માંદગીના ખાટલાઓ જોવા મળી રહ્યા છે. વધુ રોગચાળો ન ફેલાઇ તે માટે તંત્ર દ્વારા તાત્કાલીક આ સમસ્યા ઉકેલવા લોક માંગ ઉઠી છે.(૨૩.૧૭)

(3:41 pm IST)