Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ગુજરાત રાજપુત સમાજ દ્વારા ભવાની ધામમાં વિજયા દશમીએ શષાપુજન

રાજકોટ તા.૩: સમસ્‍ત ગુજરાત રાજપુત સમાજ દ્વારા વસ્‍તડી ભવાની ધર્મ ખાતે વિજયા દશમીના દિવસે શષા પૂજનનો કાર્યક્રમ રાખેલ છે.

સમસ્‍ત રાજપુત સમાજ દ્વારા વસ્‍તડી મુકામે સમસ્‍ત રાજપુત સમાજના આસ્‍થા સમાન માંભવાનીના નિર્માણાધીન ભવાનીધામ ખાતે વિજયાદશમીના દિવસે શષાપુજનનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ કર્ણાટકના ભુતપૂર્વ રાજયપાલ માનનીય વજુભાઇ વાળાની અધ્‍યક્ષતામાં યોજાશે.

સમસ્‍ત રાજપુત સમાજના અગ્રણીઓ અને સંતો મહંતો હાજર રહેશે. તારીખ ૫ને બુધવારના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં સમસ્‍ત રાજપુત સમાજના અભુતપૂર્વ સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહેશે. કારડીયા રાજપુત સમાજના રાજપુતપરાના પ્રમુખ અરૂણસિંહ  સોલંકીએ જણાવ્‍યુ છે કે કારડીયા રાજપુત સમાજ રાજપુતપરા વિસ્‍તારમાં સંખ્‍યાબંધ લોકો આ કાર્યક્રમમાં જોડાનાર છે. જે યુવાનો આ કાર્યક્રમ જોડાનાર હોય તેઓએ સમાજની વાડી, મવડી ચોકડી ખાતે નામ નોંધણી કરાવવા યાદીમાં જણાવાયું છે.

(4:24 pm IST)