Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

નવી મગફળીની આવકોના પગલે સીંગતેલના ભાવમાં ૧૦ રૂ. ઘટયા

રાજકોટ, તા., ૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં નવી મગફળીની આવકો શરૂ થતા સીંગતેલના ભાવમાં ઘટાડાનો દોર શરૂ થયો છે. આજે ૧૦ રૂ.નો ઘટાડો થયો હતો.

સ્થાનીક બજારમાં નવી મગફળીની આવકો વધવાની આશાએ સીંગતેલમાં નરમાઇ જોવા મળી હતી. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા)નો ભાવ ૧૦૧૦ રૂ. હતો તે ઘટીને આજે બપોરે ૧૦૦૦ રૂ. થઇ ગયો હતો.  સીંગતેલ નવા ટીન (૧પ કિલો)ના ભાવ ૧૮પ૦ થી ૧૮૯૦ રૂ. હતા તે ઘટીને ૧૮૪૦ થી ૧૮૮૦ રૂ. થયા હતા. આગામી દિવસોમાં હજુ પણ ભાવો ઘટે તેવી શકયતા છે.

(3:56 pm IST)