Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા શ્રમિકોના તેજસ્વી બાળકોનું સન્માન

રાજકોટ : બાંધકામ શ્રમયોગીઓના તેજસ્વી બાળકોને પ્રોત્સાહીત કરવા વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરીત અખિલ ગુજરાત શ્રમયોગી સંગઠન દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ૪૭૦ બાળકોને સન્માનીત કરી સ્કુલ બેગનું વિતરણ કરાયુ હતુ. ઉપરાંત સભ્યોના આઇકાર્ડનું વિતરણ આ તકે કરાયુ હતુ. સમારોહના અધ્યક્ષસ્થાને ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, મહેમાન તરીકે ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઇ રાડીયા, ટર્બો બેરીંગના ચેરમેન પ્રતાપભાઇ પટેલ, સરસ્વતી વિદ્યામંદિર સંકુલના ચેરમેન અપૂર્વભાઇ મણીઆર, માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સદ્દભાવના વૃધ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઇ ડોબરીયા, મિતલભાઇ ખેતાણી, બી-ડીવીઝન એ.એસ.આઇ. કેયાબેન ચોટલીયા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સમાહોરને સફળ બનાવવા વાત્સલ્ય ટ્રસ્ટના સ્વયંસેવકો અને અખિલ ગુજરાત બાંધકામ શ્રમયોગી સંગઠનના જીજ્ઞેશભાઇ કાચા, ભુપતભાઇ ચાવડા, અશોકભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ મકવાણા, વિપુલભાઇ પરમાર, વિજયભાઇ મકવાણા, જીતેન્દ્રભાઇ ગેડીયા, પ્રવિણભાઇ જાવિયા, પ્રણવભાઇ ટાંક, હિતેશભાઇ કાચા, જયેશભાઇ ચોટલીયા, કમલેશ રાઠોડ, દીલીપભાઇ ટાંક, ધર્મેન્દ્રભાઇ રાઠોડ, ધર્મેશભાઇ ટાંક, કમલેશભાઇ ગેડીયા, કિશોરભાઇ જેઠવા, મનોજભાઇ ટાંક, સંજયભાઇ મારૂએ જહેમત ઉઠાવી હતી.

(3:53 pm IST)