Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ગોૈશાળામાં ચાલી રહેલ કથામાં નંદ મહોત્સવ

 ગોૈ ભકત કથાકાર શાસ્ત્રી શંકરમહારાજ જોષીના વ્યાસાસને સોમનાથ મંદિર ગોૈશાળા રૈયા ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે યોજાયેલ શ્રીમદ્ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ' નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી' ના નાદ સાથે કૃષ્ણ જન્મ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. કથા દરમ્યાન આઝાદ સંદેશના વરિષ્ઠ પત્રકારશ્રી સુશીલભાઇ ત્રિવેદીએ પરિવાર સહિત હાજરી આપી હતી. પૂ. શાસ્ત્રીજીની આ કથાનું આયોજન શ્રી અજરપરી બાપુની પુણ્યતિથી તેમજ ગોૈ સેવાના લાભાર્થે કરેલ છે. સંગીત વિભાગમાં જીતુભાઇ પંડયા, શ્યામભાઇ ગલોરીયા, મોહીતભાઇ જોષી સાથ આપી રહ્યા છે. કથાનું આયોજન પૂ. પ્રભુપુરીબાપુ સેવક સમુદાય દ્વારા કરવામાં આવ્યું છે.

(3:49 pm IST)