Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

કારડીયા રાજપુત સમાજના જય ભવાની રાસોત્સવ

કારડીયા રાજપુત શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા ૧૦મીએ ગુરૂવારે

રાજકોટઃ તા.૩, શ્રી કારડીયા રાજપુત જ્ઞાતિ સમાજ રામ મંદિર (૨-રજપુતપરા રાજકોટ) દ્વારા આયોજીત જય ભવાની રાસોત્સવનું એક દિવસનું આયોજન તા.૧૦ને ગુરૂવાર સાંજે ૭ થી ૧૧ સુધી રાજહંસ પાર્ટી પ્લોટ નાના મવા મેઇન રોડ ગાંધી  વિદ્યાલયની પાછળ રાજકોટ ખાતે આયોજન કરાયું છે.

સતત ચોથા વર્ષે આયોજીત સમસ્ત કારડીયા રાજપુત સમાજના ખેલૈયાઓ રાસોત્સવની જમાવટ કરશે. પાંચ હજાર ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશે.

પાસ  મેળવવા તેમજ વધુ માહિતી માટે કારડીયા રાજપુત સમાજની વાડી ૧૫૦ ફુટ રીંગ રોડ (મો.૯૭૨૭૭ ૫૧૯૯૯) ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

તસ્વીરમાં સંસ્થાના પ્રમુખ અરૂણભાઇ સોલંકી, ઉપપ્રમુખ નવલસિંહ ચુડાસમા, મંત્રી ગુલાબસિંહ સોલંકી, સુરેશભાઇ પરમાર, જીતુભાઇ સેલારા, ભુપતસિંહ ઝાલા, વજુભાઇ પરમાર, ચિરાગભાઇ ભટ્ટી, સુરેશભાઇ ભટ્ટી અને હરિસિંહ પરમાર નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:35 pm IST)