Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

૬૬મી વખત રકતદાન કરતા રેલ્વે કર્મચારી રાજેશ મહેતા

ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે વે.રેલ્વે રાજકોટ ડીવીઝન તથા રોટરી કલબ રાજકોટ તથા એચ.એન.શુકલા કોલેજ દ્વારા રેલ્વે સ્ટેશન પર સ્વચ્છતા અભિયાન તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હતું. આ કેમ્પમાં વે.રે.એમ્પ્લોઇઝ યુનિયનના આર.વી.મહેતા દ્વારા ૬૬મી વાર રકતદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એડીઆરએમ એસ.એસ.પાદવ, સિ.ડીસી.એમ શ્રી રવિન્દ્ર શ્રીવાસ્તવ, વે.રેલ્વે રાજકોટ એપીઓ ઇનચાર્જ અવિનાશકુમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:15 pm IST)