Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

''કાશી વિશ્વનાથ મહાદેવ'' પટાંગણ પેવીંગ બ્લોકથી મઢાશેઃ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાના હસ્તે ખાતમૂર્હુતઃ

રાજકોટઃ શહેર વોર્ડ-૩માં સમર્પણ પાર્ક સોસાયટીમા આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિસરનાં પટાંગણમાં પરિસરમાં પેવિંગ બ્લોક નાખી આપવાની માંગણી વિસ્તારનાં જાગૃત વોર્ડ નં-૩ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા સમક્ષ કરવામાં આવી હતી. ગાયત્રીબા વાઘેલા દ્વારા વિસ્તારનાં લોકોની સુવિધામાં વધારો થાય તેમજ વિસ્તારમાં વસવાર કરતાં સોસાયટીનાં મધ્યમ વર્ગના લોકો સામાજીક તેમજ ધાર્મિક પ્રસંગોએ આ જગ્યાનો સારી રીતે ઉપયોગ કરી શકે તે હેતુંથી પોતાની નગરસેવક તરીકેની વ્યકિતગત ગ્રાંન્ટ માંથી આ કામગીરી મંજૂર કરવામાં આવી હતી. અને આ વિસ્તારના સ્થાનિક મહિલા આગેવાનો વિજયાબેન-ગૌસ્વામી, ઝીનાબા, જાડેજા કોંગ્રેસ અગ્રણી શ્રી અશોકસિંહ, વાઘેલાની ઉપસ્થિતિમાં ગાયત્રીબા વાઘેલાના હસ્તે આ કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિસ્તારનાં સ્થાનિક આગેવાનો શ્રી મીલાબાપુ, મહિલા મંડળના આગેવાનો વિજયાબેન ગૌસ્વામી, મીનાબા જાડેજા, અવનીબેન દવે, ઉમાબેન ગૌસ્વામી, ભારતીબેન ગઢવી, મધુબેન માણેકભાઇ બીનાબા પરમાર, મંજૂબેન આયર, ચંદ્રબા, જાડેજા સંગીતાબેન દવે, જોષનાબેન જોષી, પ્રકાશબા ઝાલા, મીનાબા ઝાલા, ઇન્દ્રાબા જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

(4:27 pm IST)