Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

કોઠારીયા રોડ વિસ્તારમાં વિવેકાનંદનગર પોસ્ટ ઓફીસ સામે બળાપોઃ લોકોના કોઇ કામ થતા નથી

રાજકોટ, તા., ૩: કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતા સેંકડો લોકોએ હેડ પોસ્ટ ઓફીસના અધિકારીઓને પત્ર પાઠવી ઉમેર્યુ હતું કે અમારા વિસ્તાર વિવેકાનંદનગર પોસ્ટ ઓફીસમાં અમારા વિસ્તારનું કોઇ પણ કામ થતું નથી. બુકીંગ લેવાતું નથી. જયારે જઇએ ત્યારે ભકિતનગર પોસ્ટ ઓફીસે જાવ, અહી પાર્સલ બુકીંગ નથી લેતા, લાઇટ બીલ નથી લેવાતા એવા જવાબો આપે છે.

આ વિસ્તારના પંકજ બકુત્રા, દિનેશ પટેલ, અશોક પટેલ, દેવશી રબારી સહીત કુલ ર૦૦ થી વધુ લોકોની સહી સાથે ફરીયાદમાં ઉમેરાયું છે કે દર વખતે અમારે ઉપરોકત પોસ્ટ ઓફીસે ધક્કા થાય છે. કોઇ પણ પ્રકારનું કામ થતુ નથી. પાર્ર્સલનું બુકીંગ લેવાતું નથી. આ પોસ્ટ ઓફીસ કામ કરતી ન હોય તેને બંધ કરી દો, ઘણી ખરાબ સર્વીસ છે. દર વખતે અન્ય બ્રાંચમાં જાવ તેવા જવાબો અપાય છે. (૪.૧૦)

 

(4:02 pm IST)