Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ઉદયનગરના કમલેશભાઇ ત્રિવેદીનું બેભાન હાલતમાં મોત

છોટુનગર ઝૂપડપટ્ટીના ખીમજીભાઇનું પણ બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૩: ઉદયનગર-૧માં રહેતાં કમલેશભાઇ જન્મશંકર ત્રિવેદી (ઉ.૫૬) નામના બ્રાહ્મણ પ્રોૈઢ સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

માલવીયાનગરના પીએસઆઇ યુ. બી. જોગરાણાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર કમલેશભાઇ બે ભાઇમાં મોટા હતાં અને વિરનગર શિવાનંદ ટ્રસ્ટ હોસ્પિટલમાં પ્યુન તરીકે નોકરી કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

બીજા બનાવમાં છોટુનગર ઝૂપડપટ્ટીમાં રહેતાં ખીમજીભાઇ ગુગાભાઇ ડઢાણીયા (ઉ.૪૫) દેવીપૂજક આધેડ બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. મૃતકને બે પુત્ર અને એક પુત્રી છે. શાકભાજી વેંચી ગુજરાન ચલાવતાં હતાં. ગાંધીગ્રામના એએસઆઇ રવજીભાઇ પટેલ અને કૃષ્ણસિંહે કાર્યવાહી કરી હતી.

મુસ્લિમ યુવાને પણ બેભાન હાલતમાં દમ તોડ્યો

ત્રીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટ પાસે સુપર એન્જીટેક પ્રા. લી. પાસે રહેતો અને મજૂરી કરતો હસનઅલી અબ્દુલહાસીમ (ઉ.૨૫) નામનો મુસ્લિમ યુવાન કારખાનાની ઓરડમીાં બિમારીથી બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ મોત નિપજ્યું હતું. આજીડેમના એએસઆઇ નરેન્દ્રભાઇ ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:57 pm IST)