Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

પૂ.ધીર ગુરૂદેવની નિશ્રામાં સંઘ જમણઃ વર્ષીતપ આરાધકોનું મિલન

રાજકોટ : શ્રી વિલેપાર્લે સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ.શ્રી ધીરગુરૂદેવવની નિશ્રામાં ભંવરલાલજી લોઢા પ્રેરિત સંઘજમણનો ૨૨૦૦ ભાવિકોએ લાભ લીધેલ. વર્ષીતપના ૧૮ નવેમ્બરના સમૂહ પારણાના દાતાઓમાં અરૂણાબેન મનુભાઇ શાહ (રૂબીમિલ્સ), શોભનાબહેન વિરાણી, લતાબેન બળવંતરાય મહેતા, દક્ષાબેન કામદાર વગેરે જોડાયા હતા. શુભ સંદેશ પુસ્તકની અર્પણ વિધિ હિરેન ભાઇ અને જયશ્રીબેન શાહના હસ્તે થયેલ. ગુણવંતભાઇ ભાયાણી પ્રેરિત વિરામવાટિકા તેમજ મંગળાબેન તેજાણી, કેસરબેન સંગોઇ, ચેતના વિજય શાહ, ઋષભ મહિલા મંડળ, મેવાડ સંઘ, દિવાળીબેન રૂગનાથ દોશી, વિવિધલક્ષી હોલ વગેરે સંકુલની અનાવરણ વિધિ સંપન્ન થયેલ.(૧.૨૭)

(3:42 pm IST)