Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

દેવ સોલંકીએ માટીની ગણપતિજીની કલાત્મક મૂર્તિ બનાવી

આજે જયારે દેશમાં ચારેયકોર પ્રદુષણને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે ગણેશ ચતુર્થી નિમિત્તે ઉજવાતા ગણેશ મહોત્સવમાં લોકો પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ બનાવી આ પ્રદુષણમાં વધારો કરે છે. આવા માહોલમાં સમગ્ર દેશમાં ગણપતિ મહોત્સવ દરમિયાન ઈકો ફ્રેન્ડલી ગણપતિદાદાની મૂર્તિ બનાવવામાં આવે તે અત્યંત જરૂરી છે.  દેવ સોલંકી દ્વારા માટીમાંથી ગણપતિદાદાની કલાત્મક મૂર્તિ કંડારી આ દિશામાં નવો રાહ ચિંધવાનો ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે. દેવને મો.૯૭૨૭૬ ૩૫૩૮૧ શુભેચ્છાઓ વરસી રહી છે.

(3:36 pm IST)