Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ટીરીયર ડિઝાઈનર સૌરાષ્ટ્ર ચેપ્ટરના નવા હોદ્દેદારોની વરણી

ચેરમેન હરેશભાઈ પરસાણા - ચેરપર્સન ઈલેકટ તરીકે શૈલીબેન ત્રિવેદી સહિતના હોદ્દેદારોની નિયુકિત

રાજકોટ : ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ટીરીયર ડીઝાઈનર સૌરાષ્ટ્ર રીજનલ ચેપ્ટરના ૨૦૧૯-૨૦૨૧ના કાર્યકાળ માટે હોટેલ ઈમ્પીરીયલ પેલેસમાં સ્થાપન સમારોહ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર ચેપ્ટરના પ્રમુખપદે ઈન્ટીરીયર ડિઝાઈનર શ્રી હરેશભાઈ પરસાણાની વરણી કરવામાં આવી હતી. આ સમારોહમાં ૨૦૦થી વધારે સભ્યો સીનીયર આર્કીટેકટ, ઈન્ટીરીયર ડિઝાઈનર, સ્ટ્રકચર એન્જીનિયર, આરબીએના પ્રમુખ શ્રી પરેશભાઈ ગજેરા તથા તેમના બોર્ડ મેમ્બર્સ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે આઈઆઈઆઈડીના નેશનલ પ્રેસીડેન્ટ શ્રી પ્રતાપભાઈ જાદવ દ્વારા નવી કમીટી હરેશભાઈ પરસાણા - ચેરમેન, શૈલીબેન ત્રિવેદી - ચેરપર્સન ઈલેકટ, આનંદભાઈ શાહ - પૂર્વ ચેરમેન, મેહુલ બુદ્ધદેવ - વાઈસ ચેરમેન, રચેસભાઈ પીપળીયા  સેક્રેટરી, જયેશ કાનપરા - ટ્રેઝરર તથા કમીટી મેમ્બર્સ તરીકે ભરતભાઈ હાપાણી, જગદીશભાઈ હરીયાણી, વિશાલ પટોળીયા, જાનકી હકાણી, મિતેષ અંતાળા, ભાવેશ મલકાન, જીજ્ઞેશ ધ્રાંગા, નિશીતા દાસાણી, નેહુલ મણીયાર, મિતલ ચૌહાણ, મયુર મહેતા, કુશલ શાહ તથા એડવાઈઝરી મેમ્બર તરીકે વિરલભાઈ સિલ્હર, મૌકિતકભાઈ ત્રિવેદી, કીરીટભાઈ ડોડીયાની નિયુકિત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં હરેશભાઈ પરસાણા, આઈઆઈઆઈડી નેશનલ ચેરમેન પ્રતાપભાઈ જાદવ, આરબીએ-ક્રેડીઆઈના પ્રમુખ શ્રી પરેશભાઈ ગજેરા તથા આક્રિ. કિશોરભાઈ ત્રિવેદી દ્વારા આઈઆઈઆઈડીના મેમ્બરો માટે વિશેષ પ્રિવીલેજ કાર્ડ લોન્ચ કરવામાં આવેલ હતું.

(3:36 pm IST)