Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

પોપટપરાના અત્તરના ધંધાર્થી નરેશભાઇનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૩: પોપટપરા શેરી નં. ૧૫/૧૬ના ખુણે રહેતાં મુળ યુ.પી.ના નરેશભાઇ હેમરાજસિંગ રજપૂત (ઉ.વ.૬૦) રાત્રે ઘરે અચાનક બેભાન થઇ જતાં ૧૦૮ને જાણ કરાઇ હતી. તેના ઇએમટી નારણભાઇ સોલંકીએ તેમને મૃત જાહેર કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ઝાલાએ પ્ર.નગરમાં જાણ કરતાં એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને રવિરાજભાઇ રબારીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. પોતે અત્તર વેંચી ગુજરાન ચલાવતાં હતાં.

(1:18 pm IST)