Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ધોરાજીના ચીચડમાં કોળી પરિણીતા કિરણ કોરડીયાનો ઝેર પી આપઘાત

માવતરે કહ્યું-દિકરીને કોઇ દુઃખ નહોતું, આવુ પગલુ શા માટે ભર્યુ તે ખબર નથી

રાજકોટ તા. ૩: ધોરાજીના ચીચડ ગામે રહેતી કિરણબેન હરેશ કોરડીયા (ઉ.૨૮) નામની કોળી પરિણીતાએ ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

કિરણબેને ગઇકાલે બપોરે બે વાગ્યા આસપાસ ઝેર પી લેતાં ઉપલેટા ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ સાંજે તેણે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પાટણવાવ પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર કિરણબેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં અઢી વર્ષનો પુત્ર છે. પતિ હરેશ લવજીભાઇ હીરા ઘસવાનું કામ કરે છે. તેણીના માવતર ઉપલેટાના જાર ગામે રહે છે. પિતાનું નામ સુખાભાઇ કાળાભાઇ ટીડીયા છે. કિરણબેન ચાર બહેન અને એક ભાઇમાં બીજી હતી. પિતા સુખાભાઇએ કહ્યું હતું કે સાસરિયામાં દિકરીને કોઇ દુઃખ નહોતું. તેણીએ આવું પગલુ શા માટે ભર્યુ? તે અંગે અમને પણ કંઇ ખબર નથી. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(11:45 am IST)