Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

વાજડી પાસે સર્જાયેલા અકસ્માતમાં કાળનો કોળીયો બનેલા

આદર્શ ગોસ્વામી અને નિશાંત દાવડા અને ફોરમ એમ ત્રણેય હોમીયોપેથીના ચોથા વર્ષમાં હતાં

રાજકોટઃ કાલાવડ રોડ પર વાજડી પાસે કાર અને એસટી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાળનો કોળીયો બનેલા ત્રણેય છાત્રો નિશાંત નિતીનભાઇ દાવડા (ઉ.૨૫-રહે. ગોંડલ), આદર્શભારથી પ્રવિણભારથી ગોસ્વામી (ઉ.૨૩-રહે. આનંદનગર કોઠારીયા રોડ, મુળ નવાગામ રામોદ) તથા ફોરમ ધ્રાંગધરીયા (ઉ.૨૨) એમ ત્રણેય હોમિયોપેથીના ચોથા વર્ગના છાત્ર હતાં. ત્રણેય આશાસ્પદ છાત્રોના મૃત્યુથી સમગ્ર કોલેજ સ્ટાફ અને સાથી છાત્રોમાં તેમજ ત્રણેયના સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. તસ્વીરમાં આદર્શભારથી અને નિશાંતના નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે. 

(3:48 pm IST)