Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ભાજપના વિવિધ મોરચાઓ દ્વારા સેવા કાર્યક્રમો

 રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના ૬પ માં જન્મદિવસની ઉજવણી અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરભરમાં અનેકવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. તે અંતર્ગત વિવિધ મોરચાઓ ઘ્વારા પણ સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવેલ.  જેમાં  યુવા મોરચા દ્વારા રમણીકકુવરબા વૃઘ્ધાશ્રમ,ગોંડલ રોડ ખાતે વૃઘ્ધોને ભોજન કરાવવામાં આવેલ. તેમજ બક્ષીપંચ મોરચા દ્વારા  માનસિક ક્ષતિગ્રસ્ત બહેનોની સંસ્થા ખાતે બાળાઓને ભોજન કરાવવામાં આવેલ. તેમજ પદ્દમકુંવરબા હોસ્પિટલ ખાતે ફ્રુટ વિતરણ કરાવવામાં આવેલ. મહીલા મોરચા દ્વારા  પંચનાથ મહાદેવ મંદીર ખાતે મહાઆરતી તેમજ બહેનોને બીંલીપત્ર ના રોપાનું  વિતરણ કરવામાં આવેલ. અનુ.જાતી મોરચા દ્વારા સદભાવના વૃઘ્ધાશ્રમ, ગોંડલ રોડ  ખાતે વડીલોને ભોજન કરાવવામાં આવેલ. આ તમામ સેવાકીય કાર્યક્રમોમાં શહેર ભાજપના વિવિધ મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. 

(3:47 pm IST)