Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

પરજીયા કુંભાર યુવા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા રવિવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ

 રાજકોટઃ તા.૩, શ્રી પરજીયા કુંભાર યુવા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સર્વરોગ ફી નિદાન કેમ્પનું તા.૫ને સવારે ૯ થી ૧ કલાકે પરજીયા કુંભાર સમાજના આગેવાનો અને પ્રતિષ્ઠિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં સમોઝાદ વિધામંદિર ખાતે આયોજન કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્રના નામાંકીત ડોકટરો દ્વારા સચોટ નિદાન તેમજ દવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. શ્રી પરજીયા કુંભાર સમાજના સર્વેજ્ઞાતિ જનોને લાભ લેવા આમંત્રણ છે. ટ્રસ્ટ દ્વારા ચોપડા વિતરણ રકતદાન કેમ્પ સહિતના આયોજન કરવામાં આવે છે.

આ આયોજનને સફળ બનાવવા અશ્વિનભાઇ આર ભટ્ટી, ડીપેનભાઇ વી. ગોહેલ, મનોજભાઇ એમ બોરીયા, ચેતનભાઇ ડી ટાંક, ગૌતમભાઇ જી ગોહેલ, નરેન્દ્રભાઇ જી ગોહેલ તથા સંસ્થાના તમામ સભ્યો આ કેમ્પમાં કાર્યરત છે.

નિદાન કેમ્પનું સ્થળઃ શ્રી સમોઝાદ વિધા મંદિર ૧/૨૩ ઉદયનગર, વાટલીયા કુંભાર જ્ઞાતિ વાડીની સામે, મવડી ચોકડી પાસે, રાજકોટ વધુ માહિતી માટે ૮૫૧૧૬ ૯૧૦૭૬, ૮૯૦૫૭ ૧૧૧૧૧ ઉપર સંપર્ક કરવા અગ્રણીઓએ અકિલા કાર્યાલયની મુલાકાતમાં જણાવ્યું હતુ. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:34 pm IST)