Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

કોર્પોરેશનનાં પુસ્તકાલયમાં ૧૦ ટકા ભાવે જુના મેગેઝીનનું વેચાણ

લાયબ્રેરીના સભ્યોને આજથી તા.૧૦ મે સુધી લાભ લેવા તંત્રનો અનુરોધ

રાજકોટ તા.૩: મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત શ્રીમતિ પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય, બહેનો તથા બાળકો માટના ફરતા પુસ્તકાલય યુનિટનં. ૧ અને ૨ તથા  એજયુકેશનલ મોબાઇલ લાઇબ્રેરી યુનિટનં. ૩ અને ૪ તથા દતોપંત ઠેગડી પુસ્તકાલયનાં સભ્યો માટે ગત વર્ષના જુના મેગેઝીનો તેની મુળ કિંમતના દસ ટકાનાં ભાવથી આજ થી ૧૦ મે સુધી વેચાણ કરવામાં આવશે.

લાભ લેા ઇચ્છતા સભ્યોને રવિવાર સિવાયના દિવસોમાં સવારે ૧૧.૦૦થી સાંજના ૫.૦૦ સુધીમાં શ્રીમતિ પ્રભાદેવી જે.નારાયણ પુસ્તકાલય ૩૪, પ્રહલાદ પ્લોટ, કેનાલ રોડ તથા દતોપંત ઠેગડી પુસ્તકાલય, શ્રોફ રોડ ખાતેથી મળી શકશે. જેનો સભ્યોએ લાભ લેવા તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યું છે.

(4:08 pm IST)