Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

વૃધ્ધ કોળી દંપતિનું સજોડે વિષપાનઃ પત્નિનું મોત

કોઠારીયા રોડ રાધાકૃષ્ણ સોસાયટીમાં બનાવઃ જીવુબેન પરમાર (ઉ.૭૦)નું મોતઃ પતિ વીહાભાઇ પરમાર (ઉ.૭૨) સારવાર હેઠળ પત્નિને આંખે ઓછુ દેખાતું, પતિથી કામ થઇ શકતું નહોતું તેથી કંટાળ્યાઃ પુત્ર અલગ રહે છે

રાજકોટ તા. ૩: શહેરના કોઠારીયા રોડ પર રાધાકૃષ્ણ સોસાયટીમાં કિસાન ગોૈશાળા પાસે રહેતાં વૃધ્ધ કોળી દંપતિએ સજોડે ઝેર પી લેતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં પત્નિનું મોત નિપજ્યું છે. વૃધ્ધાને આંખે દેખાતુ ન હોઇ તેનાથી કંટાળી ગયા હતાં. તેમજ વૃધ્ધ પતિથી પોતાનું અને પત્નિનું કામ થતું ન હોઇ તે પણ કંટાળી ગયા હોવાથી બંનેએ સાથે મરી જવાનો નિર્ણય કરી સજોડે વખ ઘોળ્યું હોવાનું બહાર આવ્યું છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતાં વીહાભાઇ કેશાભાઇ પરમાર (ઉ.૭૨) નામના કોળી વૃધ્ધ અને તેમના પત્નિ જીવુબેન વીહાભાઇ પરમાર (ઉ. ૭૦)એ બપોરે ઝેર પી લેતાં હોસ્પિટલે ખસેડાયા હતાં. જેમાંથી પત્નિએ સારવાર દરમિયાન તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર જીવુબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પુત્ર બાજુની સોસાયટીમાં અલગ રહે છે. વૃધ્ધાને આંખે ઓછુ દેખાતું હોઇ કામ કરી શકતાં નહોતાં અને પતિ વીહાભાઇ પણ તબિયત સારી ન હોઇ બંનેનું કામ કરી શકતાં ન હોઇ કંટાળીને બંનેએ બપોરે માંકડ મારવાની દવા પી લીધી હતી. આજીડેમના હેડકોન્સ. જીતુભાઇ ભમ્મર અને યોગરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:08 pm IST)