Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

દાનની જ્યોત જગવતા રાજકોટના જ્યોત્સનાબેનઃ મુખ્યમંત્રીશ્રી રાહતનિધિમાં રૂ.૧,૦૧,૧૦૧નો ફાળો અર્પણ

રાજકોટ તા. ૩:  કોરોના મહામારીનો મુકાબલો કરતી રાજય સરકારને આર્થિક ટેકો દેવા રાજયભરમાંથી દાનની સરવાણીઓ વહી રહી છે. આ સરવાણીમાં રાજકોટના ૯૩ વર્ષના સામાજિક કાર્યકર જયોત્સનાબેન જયંતિલાલ મોદીએ પણ સ્વબચતમાંથી રૂ. ૧, ૦૦,૧૦૧ નો ફાળો આપ્યો છે. તેમના આ ઉમદા કાર્યથી સમાજમાં દાનની જયોત જગી છે.

સમાજને હરહંમેશ પોતાની સેવા આપતા તત્પર રહેતા જયોત્સનાબેન વર્ષ ૧૯૬૨થી ૧૯૬૫ દરમિયાન પ્રહલાદ પ્લોટના નગર સેવક તરીકે જનસેવા આપી ચૂકયા છે. તો બાલાશ્રમના કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે અને શાળા પ્રાથમિક બોર્ડમાં વાઈસ ચેરમેન પદે પણ લોકસેવા અદા કરી છે. આજે ૯૩ વર્ષની જૈફ વયે પણ સમાજ પ્રત્યેની તેમની સેવા ભાવના અકબંધ છે. રાજકોટ શહેરના નિલકંઠ સિનેમા પાસેની આનંદ નગર કોલોનીના રહેવાસી જયોત્સનાબેન તેમના ફાળા વિશ કહે છે કે, 'લોક કલ્યાણ અર્થે મેં તો ફકત નજીવી સહાય કરી છે.' આ શબ્દો તેમની સમાજ પ્રત્યે રહેલી સંવેદનાની સાક્ષી પુરે છે.

દેશભરમાંથી કોરોનાને જાકારો આપવા સરકાર,સમાજસેવીઓ સહિત ઉદ્યોગપતિઓ અને કર્મયોગીઓ ઉદત્ત્। ભાવનાથી પોતાનો સહકાર આપી રહ્યા છે. તેવા આ કપરા કામમાંઙ્ગ નાની સરખી મદદ પણ મોટી મુશ્કેલીનો અંત આણતી હોય છે.

(11:25 am IST)