Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ઝારખંડથી સોૈરાષ્ટ્રના તિર્થધામોની યાત્રાએ આવેલા વૃધ્ધનું બેભાન હાલમાં મૃત્યુ

રાજકોટ છોટુનગરમાં પુત્રના ઘરે રોકાયા હતાં

રાજકોટ તા. ૩: ઝારખંડના જમશેદપુરના વતની અને ન્યુ ઇન્ડિયા ઇન્સ્યુરન્સના નિવૃત કર્મચારી રંગબહાદુરસિંઘ દ્વારકાસિંઘ (ઉ.વ.૬૩) રાજકોટ રૈયા રોડ છોટુનગર-૩માં રહેતાં પોતાના પુત્ર રાજેશસિંઘના ઘરે વહેલી સવારે ગભરામણ થયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે તેઓને નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર રંગબહાદુરસિંઘ સોૈરાષ્ટ્રના ધાર્મિક સ્થળોને યાત્રાએ આવ્યા હતાં અને બેંક કર્મચારી પુત્રના ઘરે છોટુનગરમાં રોકાયા હતાં. અહિ સવારે તબિયત બગડી હતી અને મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:37 pm IST)