Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ધોળકીયા સ્કુલના સંચાલક જીતુભાઇ અને કૃષ્ણકાંતભાઇ ધોળકીયાનુ પરિવાર સાથે વેકસીનેશન

રાજકોટ : હજારો છાત્રોની શ્રેષ્ઠ કારકીદી ઘડનાર સૌરાષ્ટ્રની પ્રથમ હરોળની ધોળકીયા સ્કુલના સંચાલક અને અગ્રણી કેળવણીકાર શ્રી કૃષ્ણકાંતભાઇ ધોળકીયા અને શ્રી જીતુભાઇ ધોળકીયાએ આજે પરિવાર સાથે કોરોના સામે વેકસીનેશન કરાવીને સામાજીક ઉત્તરદાપિત્વ નીભાવ્યુ હતું. રસીકરણ બાદ શ્રી કૃષ્ણકાંતભાઇ અને જીતુભાઇ ધોળકીયાએ જણાવ્યુ હતું કે રસીકરણ કાર્યક્રમની તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ થશે. પ્રસ્તુત તસ્વીર જીતુભાઇ ધોળકીયા અને કૃષ્ણકાંતભાઇ ધોળકીયાએ રસી મુકાવી તે સમયની તસ્વીર.

(4:07 pm IST)