Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

ભવાનીનગરમાં ગાળો દેવા પ્રશ્ને સમજાવવા જતા વાણંદ યુવાન પર હુમલો

જય કિશન રાઠોડની ફરિયાદ પરથી પોલા સરવૈયા સામે ગુનો નોંધાયો

રાજકોટ તા. ૩: રામનાથપરામાં ભવાનીનગરમાં મિત્ર સાથે થયેલી બોલાચાલી બાબતે સમજાવવા ગયેલા વાણંદ યુવાન અને તેના મિત્રને પોલા સરવૈયા નામના શખ્સે માર માર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ભગવતીપરા ઝમ ઝમ બેકરી વાળી શેરીમાં રહેતો જયકિશન અશ્વીનભાઇ રાઠોડ (ઉ.વ. ર૪) એ એ ડીવીઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ભવાનીનગર શેરી નં. ર માં રહેતો પોલા સરવૈયાનું નામ આપ્યું છે. જયકિશને ફરીયાદમાં જણાવ્યું છે કે, ગઇકાલે પોતે તેના મોટા બાપુનો દીકરો વિશાલ તથા મિત્ર નરેન્દ્રભાઇ સરવૈયા, જયેશ વાઘેલા સાથે ભગવતીપરામાં પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે મિત્ર નરેન્દ્રના મોબાઇલમાં રામનાથપરા ભવાની નગરમાંથી તેના કુટુંબીકભાઇનો ફોન આવ્યો હતો કે, 'તારા પિતા વિજયભાઇને પોલા સરવૈયા ગાળો કાઢે છે' તેમ વાત કરતા નરેન્દ્ર સાથે ભવાનીનગરમાં ગયા હતા અને પોલા સરવૈયાને સમજાવતા પોલાએ ઉશ્કેરાઇને નરેન્દ્રને માર મારતા પોતે વચ્ચે પડતા પોતાને પણ પોલાએ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. દેકાનો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ જયકિશને એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ જી. એમ. રાઠવાએ તપાસ આદરી છે. (૭.૩૭)

(4:57 pm IST)