Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

માલવીયાનગરમાં પી.આઇ. તરીકે વી. વી. ઓડેદરાની નિમણુંક

રાજકોટ રૂરલ એલસીબી, ડી. જી. વીજીલન્સ, સુરત અને મોરબી ખાતે ફરજ બજાવી ચુકયા છે

રાજકોટ તા. ૩: રૂરલ એલસીબી તેમજ ડી.જી. વિજીલન્સ સ્કવોડમાં અને મોરબી તેમજ સુરત ખાતે ફરજ બજાવી ચુકેલા પોલીસ ઇન્સ્પેકટર વિજય વી. ઓડેદરાને રાજકોટ શહેરમાં મુકવામાં આવતાં તેઓ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત સમક્ષ હાજર થતાં હાલ તાકીદે તેમની નિમણુંક માલવીયાનગર પોલીસ મથકમાં કરવામાં આવી છે.

વી. વી. ઓડેદરાએ ફરજ કાળ દરમિયાન અનેક પ્રશંસનીય કામગીરી કરી છે. માલવીયાનગરના પી.આઇ. એમ.ડી. ચંદ્રવાડીયાની યુનિવર્સિટી પોલીસ મથકમાં બદલી થઇ હોઇ તેમની જગ્યાએ અગાઉ ચાર્જમાં ટ્રાફિક બ્રાંચના પી.આઇ. ડી.વી. દવેને મુકાયા હતાં. ખાલી પડેલી આ જગ્યા પર હાલ વી. વી. ઓડેદરાને મુકવામાં આવતાં ચાર્જ સંભાળી લીધો છે.

(12:57 pm IST)