Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

કોઠારિયા રોડ વિજયનગરમાં રાજસ્‍થાનની સલમા કાઠાતનો ફાંસો ખાઇ આપઘાત

પતિ ઘરે આવતા પત્‍નીને લટકતી જોઇ દેકારો મચાવ્‍યો

રાજકોટ તા. ૩ : કોઠારિયા રોડ પર વિજયનગરમાં રહેતી પરિણીતાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.  મળતી વિગત મુજબ વિજયનગર શેરી નં. ૧ ખોડીયાર ટેકરીની પાછળ રહેતી સલમાબાનુ સીકંદરભાઇ કાઠાત (ઉ.૧૯) ગઇકાલે પોતાના ઘરે છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પતિ બહારથી ઘરે આવતા પત્‍નીને લટકતી જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા પરિણીતાનું મૃત્‍યુ નિપજ્‍યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક સલમાબાનુના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેના માતા-પિતા રાજસ્‍થાનમાં રહે છે. પતિ કલર કામ કરે છે. જાણ થતાં ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ એ.જે.લાઠીયા તથા રાઇટર તરૂણભાઇ જાનીએ સ્‍થળ પર પહોંચી પરિણીતાએ કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(3:20 pm IST)