Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

અકિલા પરિવાર - ગણાત્રા પરિવારના દુઃખમાં દિલીપ સંઘાણી - અશ્વિન સાવલિયા સહભાગી

સ્‍વ. વીણાબેન ગણાત્રાની પ્રેરણાના દીપ સદા ઝળહળતા રહેશે

રાજકોટ : અકિલાના તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રાના જીવનસંગીની શ્રીમતિ વીણાબેનનો દેહવિલય થતાં ઇફકોના ચેરમેન અને રાજ્‍યના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપ સંઘાણી તથા અમરેલી જિલ્લા દૂધ ઉત્‍પાદક સંઘ (અમર ડેરી)ના ચેરમેન શ્રી અશ્વિન સાવલિયાએ ગણાત્રાના પરિવારના આંગણે આવી ગણાત્રા પરિવાર અને અકિલા પરિવારને સાંત્‍વના આપી હતી. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રી અજિતભાઇ ગણાત્રા અને એકઝીક્‍યુટીવ એડિટર નિમીષ ગણાત્રા સાથેની વાતચીતમાં સ્‍વ. વીણાબેનની સારવાર અંગેની જાણકારી મેળવી તેમના સદ્‌ગુણોની પ્રશંસા કરી હતી. આ તકે જાણીતા એડવોકેટ કાંતિલાલ સોરઠીયા, જાહેર જીવનના અગ્રણી ભરત દોશી, પ્રફુલ ગેડિયા, યુવા ભાજપ અગ્રણી આશિષ કે. સોરઠીયા વગેરે ઉપસ્‍થિત હતા. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

(11:29 am IST)