Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

અયોધ્યા રામ મંદિર નિર્માણમાં સહભાગી બનવા તક : વર્ધમાનનગર કાર્યાલયનો પ્રારંભ

રાજકોટ : અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણ અર્થે સંપર્ક અભિયાન સાથે નિધિ એકત્રિકરણ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત વર્ધમાનનગર કાર્યાલય પેલેસ રોડ ખાતે શરૂ કરવામાં આવતા સ્વામિનારાય મંદિર ભુપેન્દ્ર રોડના મહંતશ્રી ભકત વત્સલ સ્વામી, પૂ. અક્ષર સ્વામી, સંઘના સોરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ કિશોરભાઇ મુંગલપરા, સહમહાનગર કાર્યવાહ અને સમિતિના સંયોજક મુકેશભાઇ કામદાર, વિશ્વહિન્દુ પરિષદના નિતેષભાઇ કથીરીયા, વર્ધમાનનગર સંચાલક ડો. નરશીભાઇ મેઘાણી, સોની સમાજના આગેવાન ચમનભાઇ લોઢીયા, દીલીપભાઇ રાણપરા, ધર્મેશભાઇ પારેખ, પુનીતાબેન પારેખ, પરેશભાઇ દોમડીયા, વિનુભાઇ જીવરાજાની, સંઘના મહાનગર કાર્યવાહ મનીષભાઇ બેચરા, સેવા પ્રમુખ ભરતભાઇ કુંવરીયા, અશોકભાઇ મકવાણા, નૈમિષભાઇ મડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ આ કાર્યમાં તન, મન, ધનથી જોડાઇ સહભાગી બનવા આહવાન કરાયુ હતુ.

(4:07 pm IST)