Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

આજી રીવર ફ્રન્ટથી રોનક બદલાઇ જશે અને ટ્રાફીક સમસ્યાનો પણ હલ : ગોવિંદભાઇ પટેલ

રાજકોટ તા. ૩ : આજી નદી રીવરફ્રન્ટનની જાહેરાત જનતાની જીત છે. આ યોજનાથી આજી નદીની રોનક બદલાઇ જશે અને ટ્રાફીક સમસ્યાનો પણ હલ થઇ જશે તેમ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવેલ છે.

તેઓએ જણાવ્યુ છે કે સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી વખતે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટમાં આજી નદી રીવરફ્રન્ટની જાહેરાત કરેલ તેને હાલના મુખ્યમંત્રીશ્રી િીવજયભાઇ રૂપાણીએ મંજુરીની મહોર મારી રાજકોટવાસીઓને અનોખી ભેટ આપી છે. ૧૧ કિ.મી. નો આજી નદીનો કિનારો કે જયાં હાલ ગટરનું ગંદુ પાણી વહે છે ત્યાં આંખો ટાઢી થઇ જાય તેવો નજારો જોવા મળશે. તેમ ગોવિંદભાઇ પટેલ (મો.૭૦૬૯૫ ૫૧૫૫૬) એ જણાવેલ છે. (૧૬.૪)

(4:08 pm IST)