Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

રામકૃષ્ણ આશ્રમ ખાતે સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિષે સેમીનાર

રાજકોટ : સ્વામિ વિવેકાનંદજીના ૧૫૦ માં જન્મદિવસની ઉજવણી અંતર્ગત અહીં રામકૃષ્ણ આશ્રમ ખાતે આજથી બે દિવસીય સંસ્કૃતી અને તત્વજ્ઞાન વિષય પર બે દિવસીય સેમીનારનો પ્રારંભ થયો છે. પ્રો. ડો. એસ. જયરામ રેડ્ડી (કુલપતિ ચંદ્રશેખર યુનિ.) ના હસ્તે ઉદ્દઘાટન કરાયુ હતુ. આજે સવારે સ્વામી મુકિતદાનંદ, સ્વામી સર્વસ્થાનંદજીએ તત્વજ્ઞાનની અસરો વિષે રસપ્રદ માહીતી રજુ કરેલ. જેનો વિશાળ સંખ્યામાં વકતાઓએ લાભ લીધો હતો. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૭)

(4:04 pm IST)