Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

વિપક્ષી નેતા મોટરકારમાં કલેકટર કચેરીએ આવતા આચારસંહિતા ભંગઃ ભાજપનો આક્ષેપ

રાજકોટ : આજે વોર્ડ નં. ૪ની પેટાચુંટણીના ઉમેદવારોના ફોર્મ જુની કલેકટર કચેરી ખાતે ભરવામાં આવ્યા તે વખતે વિપક્ષી નેતા વસરામભાઇ સાગઠિયા તેઓને હોદ્દાની રૂએ મળેલ મોટરકાર લઇને કચેરીના કમ્પાઉન્ડમાં આવતા ભાજપના પદાધિકારીઓએ આ બાબતે વિપક્ષી નેતાએ આચારસંહિતાનો ભંગ થયાનો આક્ષેપ કરી અને રિટર્નીંગ ઓફિસર આ મુદ્દે નિયમ મુજબ વિપક્ષ સામે પગલા લ્યે તેવી માંગ ઉઠાવી છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ પ્રતિક્રિયા આપતા જણાવેલ કે, તમામ પક્ષે ચુંટણીપંચને માન આપવુ જોઇએ પરંતુ વિપક્ષી નેતા વસરામભાઇએ આચારસંહિતનો છડેચોક ભંગ કરી લોકશાહીને લાંછન લગાડયું છે. તસ્વીરમાં વિપક્ષી નેતાની મોટરકાર કચેરીના કમ્પાઉન્ડમાં પડેલી દર્શાય છે. ઇન્સેટમાં વિપક્ષી નેતા વસરામભાઇ સાગઠિયા નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:03 pm IST)