Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

તત્કાલીન એમડી દ્વારા કરાયેલા વીજ ઇજનેરોની બદલીઓ સામે જીબીઆમાં પ્રચંડ વિરોધ વંટોળ

નવા એમડી ગાંધી સમક્ષ ઉગ્ર રજૂઆતોઃ યોગ્ય કરવાની અપાતી ખાત્રી સીટી-૧ના પનારાને નિવૃત્તિને એક વર્ષ બાકી છે ને મોરબી ફેંકી દેવાયાઃ પાલાને કોર્પોરેટમાંથી જવુ નહોતુને સીટી-૧માં કેમ મૂકયા?!

રાજકોટ તા. ૩ : તાજેતરમાં વીજ ઇજનેરોની બઢતી - બદલીનો દોર થયો હતો, તત્કાલીન અને તાજેતરમાં નિવૃત્ત થયેલા એમડી શ્રી સુથાર દ્વારા ઓર્ડરો કરાયા પરંતુ આ ઓર્ડરો સામે વીજ ઇજનેરોના યુનિયન જીબીઆ સામે પ્રચંડ વિરોધ વંટોળ ઉભો થયાનું બહાર આવ્યું છે.

આ સંદર્ભે જીબીઆના શ્રી બી.એમ.શાહ, શ્રી લાલકિયા વિગેરે આગેવાનોનું પ્રતિનિધી મંડળ નવા ઇન્ચાર્જ એમડી શ્રી જશ્મીન ગાંધી સમક્ષ દોડી ગયું હતું અને ઉગ્ર રજૂઆતો કરી હતી અને આ બદલીઓ ફેરવવા માંગણી કરી હતી, શ્રી ગાંધીએ રિવ્યુ કરી યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.

જીબીઆએ સવાલ ઉઠાવ્યો હતો કે, સીટી-૧ના એકઝી. ઇજનેર શ્રી પનારાને નિવૃત્તિને એક વર્ષ બાકી છે અને તેમને મોરબી કેમ ફેંકી દેવાયા, તો કોર્પોરેટ ઓફિસના શ્રી પાલાને જવું ન હતું તો પણ સીટી-૧માં મુકાયા છે, આવી જ રીતે રાજકોટ રૂરલના શ્રી કારીયાને પણ કોર્પોરેટ ઓફિસમાં ખોટી રીતે ફેરવી નખાયા છે, આ તો અધિકારીઓનું મોરલ તોડવાની વાત છે, તાકિદે ન્યાય આપવા - બદલીઓ અટકાવવા એમડી સમક્ષ માંગણી કરાઇ હતી.(૨૧.૨૫)

(3:52 pm IST)