Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

વૃંદાબેનને બહેરા પતિ સાથે ઝઘડો થતાં પાણકો માર્યો

વાસાવડના આદિવાસી મહિલાને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૩: ગોંડલના વાસાવડમાં ભુપતભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ એમ.પી.ના વૃંદાબેન નેલસીંગ પરમાર (ઉ.૫૦)ને રાત્રે દસેક વાગ્યે વાડીએ હતાં ત્યારે પતિ નેલસીંગી ઝઘડો કરી માથામાં પાણકો ફટકારી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

હોસ્પિટલ ચોકીના પી.એન. ત્રિવેદી અને દિપસિંહે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. વૃંદાબેનને સંતાનમાં ત્રણ પુત્રી અને ચાર પુત્ર છે. તેણે કહ્યું હતું કે પતિ બહેરા હોઇ તે સાંભળતા ન હોઇ વાતચીતમાં ગેરસમજ થતાં તેણે ઉશ્કેરાઇ જઇ પાણકો મારી દીધો હતો.

(10:12 am IST)