Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

કોરોના મહામારીમાં સેવાકિય પ્રવૃતિ માટે રાજકોટના સેવાભાવીઓને રાષ્ટ્રીય એવોર્ડ

શ્રી સત્ય હનુમાનજી સેવાટ્રસ્ટના પ્રમુખ ચમનલાલ પરમાર અને સંગઠ્ઠન મંત્રી કમલેશભાઇ વાઘેલા ૧રમીએ દિલ્હી ખાતે એવોર્ડ લેવા જશે

રાજકોટ તા. ર : કોરોના મહામારી દરમ્યાન સેવાકીય પ્રવૃતિ કરતા જેઓની નોંધ રાષ્ટ્રીય લેવલે લેવામાં આવેલ જેની તા.૧ર ના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રીય એવોર્ડ લેવા માટે રાજકોટમાંથી પસંદગી પામેલ શ્રી સત્ય હનુમાનજી સેવા ટ્રસ્ટના પ્રમુખ ચમનભાઇ શામજીભાઇ પરમારને સેવાકીય પ્રવૃતિઓ નોમીનેટ કરવામાં આવેલ છે.

અગાઉ ઘણા લાંબા વર્ષોથી સૌરાષ્ટ્ર-ગુજરાત તેમજ કચ્છમાં વાલ્મિકી સફાઇ કામદાર સમાજના સમુહલગ્નના અન્નદાતા ઘણા લાંબા વર્ષોથી સામાજિક સેવાકીય પ્રવૃતિઓ ઘણા લાંબા વર્ષોથી તેઓ તેમજ તેઓના પરિવારજનો પરંપરાગત કરતા આવે છ.ે જેથી તેઓના દ્વારા લોકડાઉન દરમ્યાન કોરોના મહામારીમાં તેમના ટ્રસ્ટ દ્વારા રાજકોટ જીલ્લા કલેકટર તેમજ રાજકોટ પોલીસ કમિશ્નર તેઓને સેવાકીય પ્રવૃતિ કરવા માટે જે પરવાનગી આપેલ તે પરવાનગી દરમ્યાન રાજકોટમાં આર્થિક પછાત અને નબળા વર્ગના લોકોના વિસ્તારમાં ફરીફરીને તેઓએ તેઓની અકે નિષ્ઠાવાન વ્યકિત ગત સેવાકીય પ્રવૃતિ કરેલી આ કામગીરીની નોંધ ભારતીય દલિત પરિષદ અકાદમી દિલ્હી દ્વારા લેવાઇ છે અને ચમનભાઇ પરમારને આ વર્ષે દિલ્હીના રાષ્ટ્રીય એવોર્ડ માટે નોમીનેટ કરવામાં આવેલ છે જેથી તેઓને આ અંગે ફોન ઉપર જાણ થતા રાજકોટ શહેરમાં શ્રી સત્ય હનુમાનજી સેવા ટ્રસ્ટના પ્રમુખ ચમનભાઇ પરમાર તેમજ અખિલ ભારતીય સફાઇ કામદાર સંગઠનના મંત્રી કમલેશભાઇ વાઘેલા બંને તા. ૧રના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રીય એવોર્ડ લેવા જશે.

નોંધનીય છે કે કોરોના મહામારી દરમ્યાન અખિલ ભારતીય સફાઇ કામદાર સંગઠનના મંત્રી કમલેશભાઇ વાઘેલા દ્વારા કોવિડના કામ કરતા લોકો સાથે કાંધા સાથે કાંધો મીલાવી પોતાની કે પોતાના પરિવારની પરવા કર્યા વગર તેઓએ એક સૈનિક લડાયક, નિષ્ઠાવાન, માનવસેવા કરેલ છે જે સમય દરમ્યાન લોકો કોવિડના નામથી પણ ડરી રહ્યા હતા તે દરમ્યાન તેમના દ્વારા કોવિડમાં મૃત્યુ પામેલા લોકોની ડેડ બોડીનો નિકાલ મુકિતધામમાં રાજકોટ ખાતે પોતાની જાનની પરવા કર્યાવગર મૃત્યુ પામેલ કોવિડ પરિવારના સભ્યોને યોગ્ય સાથ-સહકાર અને સહયોગ આપેલ જેની નોંધ લેવામાં આવેલ જેથી તમે લોકો ભારતીય દલિત પરિષદ અકાદમી, દિલ્હી ખાતે આ એવોર્ડમાં તમારી પસંદગી કરવામાં આવેલ છે જેથી શ્રી સત્ય હનુમાનજી સેવા ટ્રસ્ટના પ્રમુખ ચમનભાઇ પરમાર કમો.૯૯૭૪૩ ૧૪૦પ૦/૯૭૧ર૧ ૭૩૦૭૪) દ્વારા રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના સદસ્ય અંજનાબેન પવર, દિલ્હી, તેમજ ગુજરાતના પૂર્વ મૂખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ હાલના ગુજરાતના મૂખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ રાજકોટ શહેરના વાલ્મિકી સમાજના હિતરક્ષણ તેવા લોકલાડીલા નીતીનભાઇ ભારદ્વાજ તેમજ રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી તેમજ રાજકોટ જીલ્લા પૂર્વ કલેકટર તેમજ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ વગેરે પ્રત્યે ખુબ ખુબ આભાર વ્યકત કરાયો છે.

(4:27 pm IST)