Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઈ વકીલોને આર્થિક તેમજ કાયદાકીય સતત મદદ કરતાઃ દિલીપભાઈ પટેલ

રાજકોટ, તા. ૨ :. પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજના દુઃખદ અવસાનથી વકીલોમાં ઘેરો શોક છવાયો છે.

છેલ્લા સાડા ત્રણ દાયકાથી અભયભાઈ ભારદ્વાજ સાથે નજીકથી જોડાયેલા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દિલીપભાઇ પટેલે ભારે હૈયે શ્રધ્ધાંજલી આપતા જણાવેલ કે અભયભાઇ મારા પિતા સમાન મોટાભાઇ હતા તેમની સાથે ૩૬ વર્ષ વકીલાતમાં થયા તે હંમેશ મારા પરિવારમાં સુખ-દુઃખમાં પરિવારના સભ્ય તરીકે ફરજ બજાવતા હંમેશા પરિવારના સભ્ય તરીકે રાખીને વ્યવહાર કર્યા છે. મારા વિકાસમાં મને કોર્પોરેટર, બાર કાઉન્સીલના ચેરમેન બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયામાં મોકલેલ અમારી ઓફીસમાં ર૦૦ થી વધુ જૂનીયર ને તૈયાર કરીને આજે અનેક જૂનીયર સેશન્સ જજ, સરકારી વકીલો બનાવનાર સીનીયર હતાં.

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના સભ્ય દિલીપભાઇ પટેલે વધુમાં જણાવેલ કે ઓફીસના કોઇપણ જુનીયરને તકલીફ હોય ત્યારે આર્થીક ઉપરાંત કાયદાકીય માર્ગદર્શન આપતા કાયદા નિષ્ણાંત અભયભાઇ ભારદ્વાજને અભિમાન ન હતું જૂનીયર વકીલોને કાયદાકીય મદદ કરનાર એકમાત્ર અભયભાઇ ભારદ્વાજ હતાં.

(3:42 pm IST)