Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અભયભાઇના નિધનથી ગુજરાતે એક ઉતમ સમાજ સેવક ગુમાવ્યા

રાજ્યસભાના સાંસદને શ્રધ્ધાંજલી પાઠવતા મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટ,તા. ૨: રાજયસભાના સાંસદ અને પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજના દુઃખદ અવસાન બદલ શ્રધ્ધાંજલિ પાઠવતા મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, તથા દંડક અજયભાઈ પરમાર જણાવે છે કે, તેઓ જાહેર જીવનમાં લાખો કાર્યકરો માટે એક આદર્શ અને પ્રેરણારૂપ હતા. તેમના નિધનથી ગુજરાતે એક ઉત્ત્।મ સમાજસેવક ગુમાવ્યા છે. તેમણે કરેલા સેવા કાર્યો હંમેશા યાદ રહેશે.

તેઓ લોકોની મદદ કરવા માટે હંમેશા અગ્રેસર રહ્યા છે. તેમના આદર્શોને ધ્યાને લઇ લોકસેવા કરવી તે જ તેઓને સાચી શ્રધ્ધાંજલિ ગણાશે.

(2:51 pm IST)