Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અકિલાના આંગણે અભયભાઇ ભારદ્વાજનું સન્માન : નરહરિ અમીનની હાજરીથી સોનામાં સુગંધ ભળેલ

અતિતની યાદ : રાજ્યસભાના સાંસદ સ્વ. અભયભાઇ ભારદ્વાજની ભારત સરકારે કેન્દ્રીય કાયદા પંચના સભ્ય તરીકે નિમણૂક કર્યા બાદ પ્રથમ વખત અકિલા કાર્યાલયની મુલાકાતે આવેલા તે વખતે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ તેમને આવકારી સ્વાગત કરેલ. જોગાનુજોગ તે વખતે આયોજન પંચના તત્કાલીન ઉપાધ્યક્ષ અને હાલ અભયભાઇની સાથે જ રાજ્યસભામાં ચૂંટાયેલા શ્રી નરહરિ અમીન ઉપસ્થિત હતા. ત્રણેયએ રાજકીય સહિત વિવિધ મુદ્દાઓની પેટછૂટી વાતો કરી હતી. અભયભાઇ હવે આપણી વચ્ચે નથી પણ તેમની યાદ કાયમ રહેશે. (ફાઇલ તસ્વીર : સંદિપ બગથરીયા)

(2:49 pm IST)