Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

૨૦૦ મી વચનામૃત જયંતિની ઉજવણી : સ્વામિનારાયણ ગુરૂકુળમાં પૂજન - આરતી

રાજકોટ : ૨૦૦ મી વચનામૃત જયંતિની રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે વચનામૃતનું પઠન તેમજ પૂજન અને આરતીના કાર્યક્રમો કરાયા હતા. સંતો મહંતો, હરીભકતો, બહેનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂજન આરતીનો લાભ લીધો હતો. પૂ. શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ પ્રવચનમાં જણાવેલ કે વચનામૃત ગ્રંથ તો ગાગરમાં સાગર છે. તમામ સમસ્યાઓનો ઉકેલ તેમાથી મળે છે. આજે ૨૦૦ મી વચનામૃત જયંતિએ ભાવથી તેનું પૂજન અર્ચન કરવાનો આનંદ સૌએ લેવો જોઇએ. દરરોજ એક વચનામૃત વાંચન નિયમ ગ્રહણ કરવાનો આ દિવસે સંકલ્પ કરવો જોઇએ. તસ્વીરમાં સંતો મહંતોના હસ્તે વચનામૃત પૂજન તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત હરિભકતો અને બહેનો નજરે પડે છે.

(3:34 pm IST)