Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સરદારધામ અમદાવાદના સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર તરીકે કૌશિકભાઇ રાબડીયાની નિમણુંક

રાજકોટ તા. ૨ : સેવા પરમો ધર્મ સૂત્રને જીવનમંત્ર બનાવનાર ઉમિયાધામ સિદસરના સંગઠન પ્રમુખ કૌશિકભાઇ રાબડીયાની સરદારધામ અમદાવાદના સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર તરીકે નિમણુંક થતા ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

સરદાર જયંતિના અવસરે તેમની થયેલ નિમણુંકને તેઓ અહોભાગ્ય ગણાવે છે. પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરીયા, સૌરાષ્ટ્ર ઝોન અધ્યક્ષ પરેશભાઇ ગજેરા અને ટીમ સરદારધામ દ્વારા કરાયેલ તેમની વરણીને મહેન્દ્રભાઇ ફળદુ, પ્રકાશભાઇ વરમોરા, જયોતિબેન ટીલવા, મંથનભાઇ ડઢાણીયાએ શુભેચ્છા પાઠવેલ. ઉમિયાધામ સિદસર પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ ચિમનભાઇ સાપરીયા તેમજ ટ્રસ્ટીઓ, આગેવાનોએ શુભકામના પાઠવી રાજીપો વ્યકત કર્યો હતો.

આ તકે જવાબદારી સ્વિકારતા કૌશિકભાઇ રાબડીયાએ પણ સંસ્થાના ઉદેશો અને હેતુઓની પૂર્તિ માટે તન મન ધનથી સમર્પિત બની સેવા આપવા તત્પરતા બતાવી સૌનો આભાર વ્યકત કર્યો હતો.

(3:21 pm IST)