Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

મુસ્લિમ મંચ કામધેનુ દિપાવલી અભિયાનમાં જોડાયુ

 રાષ્ટ્રીયુ કામધેનુ આયોગ દ્વારા અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયાની પ્રેરણાથી ૧૧ કરોડ પરિવારોમાં ૩૩ કરોડ દેવી દેવતાઓનો વાસ ધરાવતી ગૌમાતાના ગોબરમાંથી બનેલ ૩૩ કરોડ દિવડા પ્રગટે તે માટે 'કામધેનુ દિપાવલી અભિયાન' હાથ ધરાયુ છે. શ્રીનગર ખાતે ભારતીય સેના તથા હિન્દુ ભાઇઓને આવા દિવડાની ભેટ આપી કાશ્મીરના મુસ્લિમ રાષ્ટ્રીય મંચે પણ સદ્દભાવના પ્રદર્શિત કરી હતી. આ મંચની કેન્દ્રીય સમિતિએ કરેલ નિર્ણય મુજબ મૂસ્લિમ ભાઇઓ તેમના મિત્રોને દિવડાની ભેટ આપી આ અભિયાનને વેગ આપશે. આ અભિયાનનો શુભારંભ ગૌભકત મોહંમદ ફૈઝખાન, એડવોકેટ સીરાજ કુરેશી તથા સ્થાનીક પદાધિકારીઓ મીર નઝીર, શકીલ ઉલ રહેમાન, મોહતરમા મસૂદ ખાન તથા એમ રીયાઝની સાથે મળી શંકરાચાર્ય મંદિરને ગૌમય દિવડા ભેટ આપીને કરવામાં આવ્યો હતો. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:40 pm IST)