Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

રામનાથપરામાં દાળ પકવાનના ધંધાર્થી ધનરાજભાઇને સોહીલ મેમણે છરી ઝીંકી

પુત્ર સાથે થયેલી માથાકુટમાં સમજાવવા જતા સોહીલે છરી વડે હુમલો કર્યો

રાજકોટ, તા.૨: રામનાથપરામાં બે બાઇક સામસામે આવી જતા પુત્ર સાથે થયેલી માથાકુટમાં સમજાવવા ગયેલા પિતાને મેમણ શખ્સે છરી વડે હુમલો કરતા ફરીયાદ થઇ છે. મળતી વિગત મુજબ રેલનગર સાધુવાસવાણી કુંજ રોડ પર બીલીપત્ર રેસીડેન્સી-૨ માં રહેતો દેવ ધનરાજભાઇ  રાઘાણી (ઉ.વ.૧૮) ગઇકાલે પોતાનું બાઇક લઇને રામનાથપરામાંથી પસાર થતો હતો ત્યારે સોહીલ સલીમભાઇ મેમણ અચાનક બાઇક પર સામે આવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ બાબતે દેવના પિતા ધનરાજભાઇને સમજાવવા જતા સોહીલ મેમણે ઉશ્કેરાઇને ઝઘડો કરી માર મારી છરી વડે હુમલો કરતા ધનરાજભાઇ રાઘાણીને ડાબા હાથની હથેળીના ભાગે ઇજા થઇ હતી. બનાવ બનતા દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ધનરાજભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ધનરાજભાઇ ગરૂડ ગરબી ચોક પાસે દાળ પકવાનનો વેપાર કરે છે. આ અંગે એ ડીવીઝન પોલીસે ધનરાજભાઇ રાઘાણીની ફરીયાદ પરથી સોહીલ સલીમભાઇ મેમણ વિરૂધ્ધ ગુનો દાખલ કરી પીએસઆઇ જે.એમ. ભટ્ટએ તપાસ હાથ ધરી છે.

(2:53 pm IST)