Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ઈન્દુબાઈ સ્વામી શરણંમમઃ..ના નાદથી નાલંદા ઉપાશ્રય ગુંજયુ

રાજકોટઃ ગોં.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ, વચન સિધ્ધીકા, તીર્થસ્વરૂપા, ભગવાન તુલ્ય, વિશ્વ વિખ્યાત બા.બ્ર. પૂજય શ્રી ઈન્દુબાઈ મહાસતીજીની ૮૯મી જન્મ જયંતી પ્રસંગનો મહોત્સવ દર્શન, વંદન, પ્રભાવનાથી ભવ્યાતિભવ્ય સંપન્ન થયો છે. ''ઈન્દુબાઈ સ્વામી શરણંમમ''ના જાપથી ઉપાશ્રય ગુંજી ઉઠયું હતું. દરેક કાર્ય સરકારશ્રીની ગાઈડ લાઈનને અનુસરીને માસ્ક પહેરીને, સોસોયલ ડીસ્ટન્સ જાળવીને તેમજ સેનીટાઈઝરનો ઉપયોગ કરી કરવામાં આવ્યું હતું. દરેક આરાધકને ૮૦ રૂ.ની પ્રભાવનાથી બહુમાન કરવામાં આવ્યું. જેના લાભાર્થી નાલંદા સ્થા.જૈન સંઘના પ્રમુખશ્રી અશોકભાઈ દોશી અને ચારૂબેન વોરા હતા. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(2:43 pm IST)