Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

છોટાહાથીનું પાટીયુ ખુલી જતાં રોડ પર ફેંકાઇ જતાં ગોંડલના ટીનાબેનનું મોત

રાજકોટ તા. ૨: ગોંડલની ઉંબવાડા ચોકડી નજીક ત્રણ દિવસ પહેલા છોટાહાથીના ઠાઠાનું પાટીયુ ખુલી જતાં પાછળ બેઠેલી ગોંડલની ટીનાબેન લાલજી માલી (ઉ.વ.૨૪) રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.જાણવા મળ્યા મુજબ ગોંડલ સિયારામ કાંટા પાસે ચેતન મીલ નજીક રહેતી ટીનાબેન લાલજી માલી તા. ૩૦ના રોજ છોટાહાથીના ઠાઠામાં બેસીને ગોંડલ તરફ જતી હોઇ ઉંબવાડા પાસે એકાએક પાછળનું પાટીયુ ખુલી જતાં તેણી ચાલુ વાહનમાંથી રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. અહિ ગત મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ જરૂરી કાર્યવાહી કરી ગોંડલ તાલુકા પોલીસને કાગળો મોકલવા તજવીજ કરી હતી.

(1:02 pm IST)